30/06/2021
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૮ના શ્રેષ્ઠ પુસ્તકો માટેના પારિતોષિક જાહેર થયાં, જે પૈકી ડિવાઇન પબ્લિકેશન્સ,અમદાવાદ અને તેની ભગિની પ્રકાશન સંસ્થા પ્રણવ પ્રકાશનના-એમ બંન્ને દ્વારા પ્રકાશિત કુલ છ પસ્તકોને શ્રેષ્ઠ પુસ્તકોના એવોર્ડ જાહેર થયા છે, જે ગૌરવ અને આનંદ આપનારી ઘટના છે.બાળસાહિત્ય વિભાગમાં પ્રથમ પારિતોષિક જિતેન્દ્ર પ્રજાપતિના બાળકાવ્યસંગ્રહ "વાદળાં વરસાદના રે" ને અગિયાર હજાર રૂપિયા તથા દ્વિતીય પારિતોષિક "ટોપીવાળી મા"તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીના બાળકાવ્યસંગ્રહ"એક બિલાડી બાંડી"ને સાત હજારનું પારિતોષિક મળે છે. તો નવલકથા વિભાગનું તૃતીય પારિતોષિક કચ્છના પ્રસિદ્ધ નવલકથાકાર માવજી મહેશ્વરીની નવલકથા "સોન ટેકરી"ને પાંચ હજારનું મળે છે.વિવેચન વિભાગમાં તૃતીય પારિતોષિક ડો.પિયૂષ ચાવડાના વિવેચન ગ્રંથ "ગઝલનો ગેબી અવાજ:મનોજ ખંડેરિયા"ને પાંચ હજારનું પારિતોષિક મળે છે.નિબંધ વિભાગમાં દ્વિતીય પારિતોષિક દિનેશ પટેલિયાના નિબંધસંગ્રહ "વાવણી"ને સાત હજારનું પારિતોષિક મળે છે.નાટક વિભાગમાં દ્વિતીય પારિતોષિક જાણીતા પર્યાવરણ લેખક નટવર હેડાઉના નાટયસંગ્રહ "હવે હું ચૂપ નહીં રહું"ને સાત હજારનું પારિતોષિક જાહેર થયું છે.આ તમામ સર્જકોને ડિવાઇન અને પ્રણવ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવે છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં આપ તમામ આવનારા સમયમાં ઉમદા સાહિત્યસર્જન કરીને ઉત્તરોત્તર પ્રગતી કરો અને માતૃભાષાના સંવર્ધનમાં સેવારત રહો એ જ શુભેચ્છા. અમારી પ્રકાશન સંસ્થા આ આનંદની ઘટનામાં નિમિત્ત બને છે એનું અમને ગૌરવ અને સ્વાભિમાન છે. ફરીવાર સૌ મિત્રોને શુભેચ્છાઓ 💐🌺🌹🙏🍨