14/11/2022
સભાસદ ખેડૂત મિત્રો
મગફળી ની કાપણી પછી માર્કેટ ની અંદર વધારે માલ ઉપલબ્ધ હોવા ને કારણે ઘણી વખત ભાવ નીચા રહેતા હોય છે. અને આવા સમયે ખેડૂતો ને નાણાં ની પણ ખુબ જરુરીયા પડતી હોય છે. કોઈ ને ઉધાર લીધેલા નાણાં પરત કરવાના હોય, તો કોઈ ને પ્રસંગ સાચવવાના હોય, બાળકો ની ફીસ ભરવાની હોય કે અન્ય કામો માટે વેચેલા ઉત્પાદન માંથી મળેલ રકમ થી આ બધા ચુકવણા કરવાના થતા હોય છે.
ખેડૂતો ના અનુભવ મુજબ તેઓ 3-5 મહિના ઉત્પાદન ને સંગ્રહ કરી ને રાખે તો તેનો સારો ભાવ મળી શકતો હોય છે. પણ તાત્કાલિક નાણાં ની જરૂરિયાત અને સંગ્રહ કરવાની અપૂરતી જગ્યા ને કારણે ઘણો ખરું ઉત્પાદન વેચી દેવું પડે છે.
આ પ્રશ્ન ના ઉપાય માટે સોમનાથ ખેડૂત ઉત્પાદક કંપની અને સમુન્નતિ એગ્રો પ્રાઇવેટ લી. કોડીનાર ના ખેડૂતો માટે "ખેડૂત ભંડાર યોજના" લઇ ને આવ્યા છે. આ યોજના માં ખેડૂતો માટે કોડીનાર ખાતે ગોડાઉન ની વ્યવસ્થા કરવા માં આવી છે, જેમાં ખેડૂતો પોતાની મગફળી નો પાક જમા કરાવી શકે છે અને આ પાક ના મૂલ્ય ની 65% રકમ લોન ના સ્વરૂપ માં મેળવી શકે છે. આ ઉત્પાદન ને વેચવા માટે પણ ખુબ સરળ પ્રક્રિયા રાખવામાં આવી છે જેમાં લોન ની રકમ પરત કર્યા વગર ખેડૂતો સોમનાથ ખેડૂત ઉત્પાદક કંપની ના માધ્યમ થી ગોડાઉન માં જમા કરાવેલ મગફળી વેચી શકે છે.
વધારે માહિતી માટે સંપર્ક કરવો 9275130526