08/07/2026
‘એકત્ર’ ગ્રંથગુલાલ
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ (ખંડ :
૧-૨)
https://wiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_સાહિત્યનો_ઇતિહાસ_–_ગ્રંથ_:_૨_ખંડ_:_૧
https://wiki.ekatrafoundation.org/index.php/ગુજરાતી_સાહિત્યનો_ઇતિહાસ_–_ગ્રંથ_:_૨_ખંડ_:_૨
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' – ગ્રંથ : ૨ના બંને ખંડો મળીને ઈ.સ. ૧૪૫૦થી ૧૮૫૦ સુધીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ચારસો વર્ષ લાંબી સાહિત્યયાત્રાનું અધિકૃત અને સંશોધનાધારિત ચિત્રણ રજૂ કરે છે.
ખંડ : ૧ (ઈ.સ. ૧૪૫૦–૧૬૫૦)માં મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો, જૈન સાહિત્ય, નરસિંહ મહેતા, ભાલણ, પદ્મનાભ, મીરાં, અખો અને જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરાનું વિદ્વત્તાપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે.
ખંડ : ૨ (ઈ.સ. ૧૬૫૦–૧૮૫૦)માં પ્રેમાનંદ, શામળ અને દયારામ જેવા અગ્રણી સર્જકોનું સાહિત્ય, જૈનસાહિત્ય, આખ્યાનકવિતા, ભક્તિપદો, સંતકવિતાધારા, ગદ્યસાહિત્ય, લોકસાહિત્ય, પારસી કવિઓ, લોકનાટ્ય ભવાઈ તેમજ મધ્યકાલીન કથાપ્રવાહ જેવા મહત્વપૂર્ણ વિષયોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
ભોગીલાલ સાંડેસરા, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, કે. કા. શાસ્ત્રી, કાન્તિલાલ વ્યાસ, નિરંજન ભગત, જયંત કોઠારી, ઉશનસ્, ચિમનલાલ ત્રિવેદી, રમેશ જાની સહિતના અગ્રણી વિદ્વાનોના લેખોને કારણે આ બંને ખંડો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે અનિવાર્ય અને પ્રમાણભૂત સંદર્ભગ્રંથ તરીકે સ્થાન પામ્યા છે.
હવે આ બંને મહત્ત્વપૂર્ણ ગ્રંથો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે.
વિશ્વના કોઈપણ ખૂણેથી, ગમે ત્યારે અને ગમે તે ઉપકરણ પર સરળતાથી વાંચી શકાય છે.