Ekatra Foundation

Ekatra Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ekatra Foundation, Book shop, Durham, NC.

'એકત્ર' ગ્રંથગુલાલ'ગુજરાતી નારીસંપદા : વિવેચન'સંપાદક : પારુલ કંદર્પ દેસાઈhttps://wiki.ekatrafoundation.org/wiki/નારીસંપદ...
06/16/2026

'એકત્ર' ગ્રંથગુલાલ
'ગુજરાતી નારીસંપદા : વિવેચન'
સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ

https://wiki.ekatrafoundation.org/wiki/નારીસંપદાઃ_વિવેચન

‘ગુજરાતી નારીસંપદા : વિવેચન’ ગુજરાતી લેખિકાઓની વિવેચનપ્રવૃત્તિનો મહત્વપૂર્ણ સંચય છે. ગુજરાતી વિવેચનસાહિત્યમાં લેખિકાઓનું યોગદાન પ્રમાણમાં ઓછું ચર્ચાયું છે. સર્જનાત્મક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં બહેનોની સક્રિયતા જેટલી જોવા મળે છે, તેટલી સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં જોવા મળતી નથી. આ ગ્રંથમાં ૬૮ લેખિકાઓના પસંદગીના વિવેચનલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સંપાદન ગુજરાતી લેખિકાઓની વિવેચનપ્રવૃત્તિની સંક્ષિપ્ત પરંતુ વ્યાપક ઝાંખી રજૂ કરે છે. વિવિધ સાહિત્યિક અને વિવેચનાત્મક પાસાંઓને આવરી લેતા લેખો દ્વારા અહીં ગુજરાતીમાં સ્ત્રીલેખકો દ્વારા થયેલી વિવેચનાનું વૈવિધ્યસભર ચિત્ર ઉપસે છે.

ગુજરાતી નારી-વિવેચનાનો સુરેખ આલેખ આપતો આ મૂલ્યવાન ગ્રંથ હવે ‘એકત્ર’ પર ડિજિટલ સ્વરૂપે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
https://ekatrafoundation.org

‘એકત્ર’ ગ્રંથગુલાલગુજરાતી શોધનિબંધ-સાહિત્યની ત્રણ આધારભૂત સંદર્ભસૂચિઓ હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ. ગુજરાતી ભાષા-સાહિત્ય ક્...
06/13/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ

ગુજરાતી શોધનિબંધ-સાહિત્યની ત્રણ આધારભૂત સંદર્ભસૂચિઓ હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.

ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે M.Phil. અને Ph.D. માટે સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, સંશોધકો, ગ્રંથપાલો અને અભ્યાસીઓ માટે એકત્ર ફાઉન્ડેશન ત્રણ અત્યંત મૂલ્યવાન સંદર્ભસૂચિઓ એકસાથે ઉપલબ્ધ કરાવે છે. વિષય-પુનરાવર્તન ટાળવા, પૂર્વે થયેલા સંશોધનોની માહિતી મેળવવા, સંશોધનનો ઇતિહાસ જાણવા અને નવા સંશોધનની દિશા નક્કી કરવા આ ત્રણેય ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડશે.

📘 ‘ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ’
સંપાદક : પ્રકાશ વેગડ
https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_મહાનિબંધ_સંદર્ભસૂચિ

પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રે ફ્રાન્સ, અમેરિકા, ગ્રેટ બ્રિટન, જર્મની તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્વીકૃત ૩૪૪ મહાનિબંધોની વર્ગીકૃત માહિતી ધરાવતો મહત્વપૂર્ણ ગ્રંથ.

📘 ‘ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ’
સંપાદક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_શોધપ્રબંધ_સંદર્ભસૂચિ

ઈ.સ. ૧૮૫૭થી ૨૦૦૨ સુધીના ગુજરાતી અને હિંદી વિષયોના શોધનિબંધોની વ્યાપક અને સુવ્યવસ્થિત સૂચિ. કૃતિ-વિવેચન, સર્જક-મૂલ્યાંકન, કથાસાહિત્ય, કવિતા, નાટક, સાહિત્યસિદ્ધાંત અને ભાષાશાસ્ત્ર જેવા વિવિધ ક્ષેત્રોના સંશોધનોની સૂચિ આ પુસ્તકમાં પ્રાપ્ત થાય છે. જ્યાં શક્ય બન્યું છે ત્યાં દરેક શોધનિબંધનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે, જેથી સંશોધકોને પૂર્વેના સંશોધનપ્રવાહનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે.

📘 ‘ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ’
સંપાદકો : ઉષા ઉપાધ્યાય અને અશોક પટેલ
https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાત_વિદ્યાપીઠની_ગુજરાતી_શોધનિબંધ_સંદર્ભસૂચિ

ગુજરાત વિદ્યાપીઠમાં M.Phil. અને Ph.D. માટે થયેલા ગુજરાતી સંશોધનોની સુવ્યવસ્થિત અને વિશ્વસનીય સંદર્ભસૂચિ. સંશોધનવિષયો, સંશોધકો અને માર્ગદર્શકો અંગેની માહિતી ધરાવતો આ ગ્રંથ નવા સંશોધનકારો માટે માર્ગદર્શકરૂપ બની રહેશે.

આ ત્રણેય સંદર્ભસૂચિઓ હવે એકત્ર પર ડિજિટલ સ્વરૂપે વિનામુલ્યે ઉપલબ્ધ છે.

'એકત્ર' ગ્રંથગુલાલ‘સફરના સાથી’ – રતિલાલ ‘અનિલ’https://wiki.ekatrafoundation.org/wiki/સફરના_સાથી૧૯૪૨માં સ્થાપિત ‘મહાગુજરા...
06/07/2026

'એકત્ર' ગ્રંથગુલાલ

‘સફરના સાથી’ – રતિલાલ ‘અનિલ’
https://wiki.ekatrafoundation.org/wiki/સફરના_સાથી

૧૯૪૨માં સ્થાપિત ‘મહાગુજરાત ગઝલમંડળ’ ગુજરાતી ગઝલપ્રવૃત્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. રતિલાલ ‘અનિલ’ તેના મંત્રી રહ્યા અને મુશાયરાની પ્રવૃત્તિ ગુજરાતભરમાં સક્રિય રહી. મુશાયરાની પ્રવૃત્તિએ કેટલાય શાયરોને લખતા કર્યા ને કેટલાયને લખતા રાખ્યા. આ પ્રવૃત્તિ દરમિયાન ‘અનિલ’ને શયદાની પેઢીના લગભગ તમામ શાયરો સાથે અંગત પરિચય અને ઘરોબો બંધાયો. સફરના આ સાથીઓની ગોઠડી તેમણે અહીં માંડી છે. તેમાં રેખાચિત્રો, સ્મરણના અંશો, નોંધપાત્ર શેરો અને ગઝલો સમાવાયા છે. ક્યાંક શેર કે ગઝલને ઝીણી નજરે તપાસી તેનું સૌંદર્ય પણ ઉઘાડી આપ્યું છે.

આ પુસ્તક વિશે:

🔹 દરેક પ્રકરણમાં અલગ અલગ શાયરનો પરિચય અપાયો છે, પરંતુ સૌ શાયરો ‘મહાગુજરાત ગઝલમંડળ’ સાથે જોડાયેલા હોવાથી પુસ્તકનો એકાકાર પિંડ ઘડાય છે.

🔹 આ શાયરોના રેખાચિત્રો પરલક્ષી નહીં પરંતુ આત્મલક્ષી છે. દરેક શાયર પોતાની સાથે કેવી રીતે સંકળાયેલો હતો, એ દૃષ્ટિબિંદુથી લેખકે અહીં વાત માંડી છે.

🔹 રતિલાલ અનિલે આ પુસ્તકમાં ૨૬ ગઝલકારોની ઓળખ આપીને ગુજરાતી ગઝલના ઇતિહાસની ઓળખ કરાવી છે.

🔹 આ પુસ્તક આમ તો ચરિત્રનિબંધ છે, પરંતુ ગુજરાતી મુશાયરાનો ઇતિહાસ પણ છે. તેથી તેનું દસ્તાવેજી મૂલ્ય અનેકગણું વધી જાય છે.

ગુજરાતી ગઝલપરંપરા અને શાયરોના જીવંત સંસ્મરણોને હવે ડિજિટલ સ્વરૂપે એકત્ર પર વિનામૂલ્યે વાંચી શકાય છે.
https://ekatrafoundation.org/

‘એકત્ર’ ગ્રંથગુલાલ'માડી મને સાંભરે રે'સંપાદક : ચંદુ મહેરિયાwiki.ekatrafoundation.org/wiki/માડી_મને_સાંભરે_રેગુજરાતી દલિત...
05/24/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ
'માડી મને સાંભરે રે'

સંપાદક : ચંદુ મહેરિયા
wiki.ekatrafoundation.org/wiki/માડી_મને_સાંભરે_રે

ગુજરાતી દલિત સાહિત્યમાં માતૃત્વ, સ્મૃતિ અને જીવનસંઘર્ષને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલું એક મહત્વપૂર્ણ સંપાદન ‘માડી મને સાંભરે રે’ હવે ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશન પર ઉપલબ્ધ.

આ ગ્રંથમાં કુલ ૨૧ લેખો સમાવાયા છે, જેમાં નીરવ પટેલ, જોસેફ મેકવાન, બી. એન. વણકર, બબલદાસ બી. ચાવડા, હરીશ મંગલમ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી જેવા અગત્યના સર્જકોના સંવેદનસભર લેખો સમાવાયા છે.

✨ અહીં ‘મા’ માત્ર સ્મૃતિ કે લાગણીનું પ્રતિક નથી, પરંતુ ગરીબી, સામાજિક અસમાનતા અને જીવનસંઘર્ષ વચ્ચે અડગ ઊભેલી સ્ત્રીશક્તિનું જીવંત પ્રતિબિંબ બનીને આવે છે.
✨ વ્યક્તિગત અનુભવો અહીં સામૂહિક સંવેદનામાં રૂપાંતરિત થાય છે.
✨ ગુજરાતી દલિત જીવન, લાગણીઓ અને સંઘર્ષોને સમજવા માટે આ ગ્રંથ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સમાન છે.

🌐 હવે વિનામૂલ્યે વાંચો ફાઉન્ડેશન પર
👉 https://www.ekatrafoundation.org/

‘એકત્ર’ ગ્રંથગુલાલ'સાહિત્ય પલ્લવ' (ભાગ - ૧, ૨, ૩)સંપાદકો : ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકર જોશીhttps://wiki.ekatrafoundation.or...
05/22/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ

'સાહિત્ય પલ્લવ' (ભાગ - ૧, ૨, ૩)
સંપાદકો : ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકર જોશી

https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્ય_પલ્લવ_–_ભાગ_૧
https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્ય_પલ્લવ_–_ભાગ_૨
https://wiki.ekatrafoundation.org/wiki/સાહિત્ય_પલ્લવ_–_ભાગ_૩

ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે અનેક પેઢીઓથી માર્ગદર્શક બનેલું મહત્વનું સંપાદન ‘સાહિત્ય પલ્લવ' (ભાગ - ૧, ૨, ૩) હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાહિત્યરસિકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ સંગ્રહોમાં પદ્ય અને ગદ્યના વિવિધ સ્વરૂપોનો સુંદર પરિચય મળે છે.

આ સંપાદનમાં સમાવિષ્ટ છે:
⭐નિબંધ, નવલિકા, નાટક, કવિતા અને નવલકથાના પસંદગીના અંશો
⭐સાહિત્ય સાથે કલા-દર્શનનો પણ રસસભર સમાવેશ
⭐ભાષા, અભિવ્યક્તિ અને સાહિત્યરુચિ વિકસાવતું સંપાદન
⭐શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો સૌ માટે ઉપયોગી સંપાદન

હવે ‘સાહિત્ય પલ્લવ' (ભાગ ૧, ૨, ૩)તમે ગમે ત્યારે, ગમે ત્યાં સરળતાથી વાંચી શકો છો.

'એકત્ર ફાઉન્ડેશન' પર વિનામૂલ્યે ઉપલબ્ધ!
https://ekatrafoundation.org

'એકત્ર' ગ્રંથગુલાલ'ગુજરાતી સૉનેટસંપદા'સંપાદક : મણિલાલ હ. પટેલhttps://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_સૉનેટકાવ્યોગ...
05/16/2026

'એકત્ર' ગ્રંથગુલાલ

'ગુજરાતી સૉનેટસંપદા'
સંપાદક : મણિલાલ હ. પટેલ

https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_સૉનેટકાવ્યો

ગુજરાતી ઊર્મિકવિતાના મહત્વપૂર્ણ સ્વરૂપ એવા સૉનેટનો સમૃદ્ધ વારસો હવે એકત્રિત સ્વરૂપે ઉપલબ્ધ છે.

અર્વાચીન ગુજરાતી કવિતાને સમૃદ્ધ બનાવવામાં સૉનેટ સ્વરૂપનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.

આ સંપાદનમાં કુલ ૧૩૫ ગુજરાતી સૉનેટ કાવ્યો સમાવવામાં આવ્યા છે. ૧૮૮૮માં બ. ક. ઠાકોરથી શરૂ થયેલો આ કાવ્યપ્રવાહ ગાંધી–અનુગાંધીયુગ, આધુનિક–અનુઆધુનિકયુગ ને છેક સાંપ્રત સમય સુધી વિસ્તરેલો જોવા મળે છે.

ઉમાશંકર જોશી, સુન્દરમ્, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, ઉશનસ્, જયન્ત પાઠક જેવા મહત્ત્વના કવિઓથી લઈને નવી પેઢીના કવિઓની સૉનેટ રચનાઓ અહીં સમાવાઈ છે.

પ્રકૃતિ, પ્રણય, પ્રભુચિંતન, દેશકાળ, મૂલ્યો અને માનવીય સંવેદનાઓ જેવા વિવિધ વિષયો પર આધારિત ગુણવત્તાસભર સૉનેટ કાવ્યોનો આ સુંદર સંચય ગુજરાતી કવિતાપ્રેમીઓ માટે એકત્ર પર વિનામુલ્યે ઉપલબ્ધ છે
https://ekatrafoundation.org/

‘એકત્ર’ ગ્રંથગુલાલ'દરિયાપારથી...' સંચયિત નિબંધો - પ્રીતિ શાહ-સેનગુપ્તાhttps://www.ekatrafoundation.org/p/dariyaparthiવિશ...
05/14/2026

‘એકત્ર’ ગ્રંથગુલાલ
'દરિયાપારથી...' સંચયિત નિબંધો - પ્રીતિ શાહ-સેનગુપ્તા
https://www.ekatrafoundation.org/p/dariyaparthi

વિશ્વ પ્રવાસી પ્રીતિ શાહ-સેનગુપ્તા,

જ્યારે 'સોલો ટ્રાવેલિંગ'નો કોઈ ટ્રેન્ડ કે ટર્મ નહોતી, ત્યારથી એટલે કે છેલ્લા 30-40 વર્ષોથી તેઓ એકલા પ્રવાસ કરી રહ્યા છે. 100થી વધુ દેશ જોઈ ચૂક્યા છે, ઉત્તર ધ્રુવ (North Pole)સુધી પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા છે.

પ્રીતિબેન માત્ર પ્રવાસી જ નથી, પણ એક જાણીતા વાર્તાકાર, કવયિત્રી, નિબંધકાર અને અનુવાદક પણ રહ્યા છે.

📖 ‘દરિયાપારથી...’માં તેમના ત્રણ નિબંધસંગ્રહોમાંથી પસંદ કરાયેલા ૯૦ નિબંધો સમાવાયા છે.

‘દરિયાપારથી...’ તેમના સંચયિત નિબંધોનો ઇ-ગ્રંથ હવે એકત્ર પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

ડ્રોઈંગરૂમમાં બેઠાં બેઠાં દુનિયાના અનેક શહેરો, સંસ્કૃતિઓની સફર કરવી હોય તો ‘દરિયાપારથી...’ તમારા માટે છે.
https://ekatrafoundation.org/

'એકત્ર' ગ્રંથગુલાલ'સમગ્રમાંથી સઘન - વિવેચનશ્રેણી'ઉમાશંકર જોશીસંપાદક : મણિલાલ હ. પટેલશ્રેણી - સંપાદક : રમણ સોનીhttps://wi...
05/12/2026

'એકત્ર' ગ્રંથગુલાલ
'સમગ્રમાંથી સઘન - વિવેચનશ્રેણી'
ઉમાશંકર જોશી

સંપાદક : મણિલાલ હ. પટેલ
શ્રેણી - સંપાદક : રમણ સોની

https://wiki.ekatrafoundation.org/wiki/સમગ્રમાંથી_સઘન-વિવેચનશ્રેણી_–_ઉમાશંકર_જોશી

'એકત્ર' સંકલિત ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’નો અઢારમો મણકો આપ સૌ માટે

ગુજરાતી સાહિત્યના અગ્રણી વિવેચક ઉમાશંકર જોશીની વિવેચનદૃષ્ટિ, સાહિત્યચિંતન અને સાહિત્યસ્વાધ્યાયનો નજીકથી પરિચય આપતો આ વિશિષ્ટ ગ્રંથ હવે એકત્ર પર ઉપલબ્ધ છે.

✨ કુલ ૧૧ વિવેચનગ્રંથોમાંથી પસંદ કરાયેલા ૨૬ પ્રતિનિધિ લેખો
✨ અભ્યાસીઓ, સંશોધકો અને સાહિત્યરસિકો માટે અમૂલ્ય સંપાદન
✨ સિદ્ધાંતલક્ષી, સર્જકલક્ષી, પ્રવાહદર્શન તેમજ પ્રત્યક્ષ વિવેચનના લેખો

'સ્કોલર, પૉએટ એન્ડ ક્રિટિક' તરીકે ઓળખાતા ઉમાશંકર જોશીની વિવેચના આજે પણ નવી પેઢીને પ્રેરણારૂપ છે.

📖 ‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’ આપ 'એકત્ર' પર વિનામૂલ્યે વાંચી શકો છો
https://ekatrafoundation.org/

‘એકત્ર' ગ્રંથગુલાલ 'ગુજરાતી નારીસંપદા : નાટક'સંપાદક : મીનલ દવેhttps://wiki.ekatrafoundation.org/wiki/નારીસંપદાઃ_નાટકમધ્ય...
05/07/2026

‘એકત્ર' ગ્રંથગુલાલ
'ગુજરાતી નારીસંપદા : નાટક'
સંપાદક : મીનલ દવે

https://wiki.ekatrafoundation.org/wiki/નારીસંપદાઃ_નાટક

મધ્યકાળથી વીસમી સદીમાં પ્રવેશીએ છીએ ત્યાં લગી ગુજરાતી લેખિકાઓએ નાટ્ય લેખનમાં શૂન્ય પ્રદાન કર્યું છે. અચરજની વાત એ છે કે પોતીકા જીવનમાં સતત સમસ્યાઓ સામે ઝઝૂમતી રહેતી સ્ત્રીઓએ સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં પ્રદાન કર્યું, પણ નાટકના જગતમાં ઘણો મોડો પ્રવેશ કર્યો છે. પારસી રંગભૂમિ સાથે જોડાયેલા લેખકોનાં નામની યાદીમાં એકાદ નામ સ્ત્રીનું દેખાય છે, પરંતુ તેમના વિશે કોઈ માહિતી ભાગ્યે જ મળે છે. સુધારક યુગ અને પંડિત યુગમાં પણ લખતી થયેલી સ્ત્રીઓએ નાટકથી અળગાં રહેવાનું જ સ્વીકાર્યું છે. આપણને વીસમી સદીના ત્રીજા દાયકામાં હંસાબહેન મહેતા પાસેથી પેહલીવહેલી વખત સ્ત્રી કલમે લખાયેલાં ત્રણ નાટકો મળે છે, અને એક નવી કેડી શરૂ થાય છે.

છેલ્લાં આશરે આઠ - સાડા આઠ દાયકામાં લેખિકાઓ દ્વારા સર્જાયેલાં

દીર્ઘ નાટકો
એકાંકી
શેરી નાટકો
નાટ્ય-અનુવાદો

આ બધાને એકત્રિત કરવાનું એક મહત્વપૂર્ણ કાર્ય સંપાદકે કર્યું છે

આ સંપદામાં કુલ ૨૮ લેખિકાઓનાં નાટ્યલેખનને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ દ્વારા સ્ત્રી નાટ્યલેખનનો એક નાનકડો પરંતુ મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર થયો છે, જે ભવિષ્યના અભ્યાસ અને સંશોધન માટે આધારરૂપ બનશે.

આ મહત્વની સંપદા 'એકત્ર ફાઉન્ડેશન' પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે
https://ekatrafoundation.org/

'એકત્ર' ગ્રંથગુલાલ'માટીનો મહેકતો સાદ' - મકરન્દ દવેhttps://wiki.ekatrafoundation.org/wiki/માટીનો_મહેકતો_સાદ‘માટીનો મહેકતો...
05/02/2026

'એકત્ર' ગ્રંથગુલાલ
'માટીનો મહેકતો સાદ' - મકરન્દ દવે

https://wiki.ekatrafoundation.org/wiki/માટીનો_મહેકતો_સાદ

‘માટીનો મહેકતો સાદ’ હળધર બળરામની કથા છે. પુરાણોમાં જે બળરામની છબી ઉપસે છે એ એક મદ્યપ અને મસ્તરામની છે. પરંતુ બળરામ ધરતી સાથે જોડાયેલા આદમી હતા. એમનું આયુધ હળ છે, એ ખૂબ અર્થપૂર્ણ છે.

એમને ખેતીમાં, પ્રકૃતિમાં, ધરતી માતાની ઉપાસનામાં રસ હતો. ખુલ્લા દિલના નિખાલસ બળરામ પૃથ્વીને શેષ રૂપે ધારણ કરી રહ્યા છે. તે બહુ જાણીતા નાગરૂપે જ નહીં પરંતુ સર્વને વહેંચી આપવામાં આવતા યજ્ઞશેષ અન્ન-પ્રસાદ રૂપે પણ ખરા.

ગીતાએ જેને યજ્ઞશિષ્ટ અમૃત કહ્યું એ કર્તવ્ય કર્મ પછીનો આનંદ છે. એ જ શેષ, જે યજ્ઞનારાયણની શિખાને શિરે ધરી સદા પ્રજ્વલિત રાખે છે. મકરન્દભાઈ કહે છે, વિષ્ણુ એના વિના અધૂરા રહી જાય.

ભૌતિક અને દૈવિક તાણાવાણાના મિલન વિના જીવનનું દર્શન અધૂરું, છિન્નભિન્ન અને અર્થહીન થઈ જાય. એ વાત નિબંધ દ્વારા કહેવી હતી, પરંતુ વાર્તારસીયા મિત્રો માટે નવલકથા દ્વારા કહી દીધી.

મકરન્દભાઈ કહે છે, પૃથ્વી અને પારલૌકિતતા વચ્ચેના તંતુનું અહીં આલેખન છે. તેમાં લેખકની કલ્પના કરતાં એક સૂક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે.

અધ્યાત્મમાં રસ ધરાવતા વાંચકોને અહીં સહજ વાર્તારસની સાથે જીવનપાથેય પણ મળી જાય છે. આ નવલકથા ગુજરાતી સાહિત્યને એક આગવું પ્રદાન છે.
- વિમલ દવે

આ કૃતિ એકત્ર ફાઉન્ડેશન પર વિનામુલ્યે ઉપલબ્ધ છે
https://ekatrafoundation.org

Address

Durham, NC

Alerts

Be the first to know and let us send you an email when Ekatra Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ekatra Foundation:

Share

Category